Satya Tv News

કોઠા પાપડીના મેળામાં હનુમાનજી અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતાનો મેળો…

ભીડભંજન હનુમાન દાદા અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાને મેથીના થેપલા પ્રસાદી રૂપે ધરાવવાનો અનેરો મહિમા…

ભરૂચ જિલ્લામાં વર્ષના અંતિમ મહિનામાં આવતા માગશર માસના દર ગુરુવારે ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતા રૂપી કોઠા પાપડીના મેળાનો અનેરો મહિમા રહેલો છે અને આ મેળો કોરોનાના કારણે છેલ્લા પ૦૦ વર્ષ બાદ માત્ર બે વર્ષ માટે બંધ રહ્યા બાદ પુનઃ કોરોના નહીવત થતાં કોઠા પાપડીના મેળામાં તમામ કોમના લોકોએ ભીડભંજન હનુમાન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભારતી ટોકીઝની પાછળ ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલ છે અને આ મંદિર હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું હતું અને આ ભીડભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચઢાવવામાં આવતું તેલ કુવામાં જતું હતું અને કુવામાં હનુમાનજી સાક્ષાત્ બીરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કુવાને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચઢાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કુવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે અને આ ભીડભંજન હનુમાનજીના દર્શનનો વધુ મહત્વ માગશર મહિનામાં હોય છે અને આ માગશર મહિના દર ગુરૂવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દાદાને કાઢો ખોરાક પ્રસાદ અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરતા હોય છે કોરોના ના કારણે કોઠા પાપડીનો મેળો ૨ વરસથી રદ થયો હતો પરંતુ તાજેતરમાં કોરોના નહીવત થતાં પૂનઃ કોઠા પાપડીનો મેળો માગશર મહિનાના પ્રથમ ગુરુવારે ભરાતા મોટી માત્રામાં યુવાન-યુવતીઓ એ મેળામાં કોઠા લડવાની મજા માણવા સાથે ચોખાની પાપડી આરોગ્ય સાથે મેળાની મજા માણી હતી

error: