Satya Tv News

કરીના કપૂર ખાને ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે. પોતાની નોટમાં કરીનાએ લખ્યું છે કે, ‘હુ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છુ. મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી રહ્યી છું.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનકોરોના વાયરસથી સંક્રમીત થઈ હોવાની પુષ્ટી થયા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કરીનાના ઘરને સીલ કરી દીધું છે. BMC દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કરીના તરફથી સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ BMC અભિનેત્રીના સંપર્કમાં કોણ કોણ આવ્યું છે તેની તપાસ કરી રહી છે. કરીનાની સાથે અમૃતા અરોરા પણ કોરોનાની ઝપેટમાં આવી છે. આ દરમિયાન કરીના કપૂરે ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે.

કોરોના પોઝીટીવ થયાના અહેવાલ બાદ, કરીના કપૂર ખાને ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે. પોતાની નોટમાં કરીનાએ લખ્યું છે કે, ‘હુ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છુ. મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી રહ્યી છું. જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા હો, તે બધાને તેમના કોરોના ટેસ્ટ કરાવવા હુ વિનંતી કરું છું. મારા પરિવાર અને મારા સ્ટાફને કોરોનાની રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધી તેમને કોરોનાના કોઈ જ લક્ષણો દેખાતા નથી. હું પણ ઠીક છું અને જલ્દી સાજી થઈ જઈશ.

સૂત્રોએ જણાવ્યું કે, ‘શનિવારે તેની તપાસ કરવામાં આવી હતી. ગઈકાલે, તે પુષ્ટિ થઈ હતી કે કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોવિડથી સંક્રમિત છે, હાલ બંને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે લોકોએ કોરોના રોગના ફેલાવાને ટાળવા માટે કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે લોકો બંને અભિનેત્રીઓના સંપર્કમાં આવ્યા હતા તેમને શોધી કાઢવામાં આવ્યા છે અને તેમની પણ તપાસ કરવામાં આવી છે. તેમના કરાયેલા પરીક્ષણોના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.

error: