Satya Tv News

સુરત ખાનગી લક્ઝરી બસ મોત મામલો.
ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ
અન્ય મુસાફરો અને ડ્રાઇવરના નિવેદન લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી

ગઈકાલે રાતે સુરતના હીરાબાગ સર્કલ પાસે અચાનક બસના AC નું કમ્પ્રેસર ફાટતા બસમાં ભીષણ આગ લાગી હતી  આગ લાગવાની સાથે જ બસમાં અફરાતફરી સર્જાઇ હતી આગે સેકન્ડોમાં જ બસને પોતાની ચપેટમાં લઈ લીધું હતું આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા

મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે ભાવનગરના રતાલ કોમ્પલેક્ષમાં રહેતા વિશાલ નવલાની ના લગ્ન થોડા સમય પહેલા જ તાનીયા નામની યુવતી સાથે થયા. હતા અને બંને જણા ગોવા હનીમૂન મનાવવા જવા માટે તેઓએ સુરતથી આવવા જવાની ફ્લાઇટ બુક કરી.ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યા અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયા.. ગતરોજ તેઓ ગોવા થી સુરત આવ્યા અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા. લક્ઝરી બસ વરાછાના હીરાબાગ પાસે હતી ત્યારે અચાનક જ AC ના કમ્પ્રેસર માં બ્લાસ્ટ થતાં બસમાં ભીષણ આગ લાગી હતી  અને બસમાં બેસેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતીઆ દરમિયાન વિશાલ સળગતી હાલતમાં બસની બારી માંથી કુદી ગયો અને તેની પત્ની તાનીયા બસમાં ફસાઈ ગઈ હતી.જેના કારણે આ ભીષણ આગમાં તાનીયા નું મોત નીપજ્યું અને વિશાલ ને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે.. 

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઇ શકાય છે કે નવ વાગ્યે 35 મિનિટે બસ વરાછા મેઇન રોડ થી પસાર થાય છે અને નવ વાગ્યે 37 મિનિટે બસ વરાછા હીરાબાગ સર્કલ પાસે પહોંચે છે બસ હીરાબાગ પહોંચે ત્યાર જ તેની AC માં બ્લાસ્ટ થાય છે અને બસ ત્યાં ઝટકા ખાઈને બંધ થઈ જાય છે બસ માંથી ધુમાડા નીકળતા દેખાતા આજુબાજુના લોકો તરત જ બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દુકાનોમાંથી દોડી જાય છે આ ઘટનામાં હાલ કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે બસમાં આગ કઈ રીતે લાગી તેના માટે ફોરેન્સિક તેમની પણ મદદ લેવામાં આવશે બસ માં રહેલા અન્ય મુસાફરો અને ડ્રાઇવરના નિવેદન લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: