Satya Tv News

ભારત રત્ન સ્વરકોકિલા લતા મંગેશકરનું રવિવારે એટલે કે, 6 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના સમયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર અંતર્ગત હતા. એક લાંબા સંઘર્ષ બાદ લતા મંગેશકરે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. સંગીતની દુનિયાના દિગ્ગજ મહાનુભવ એવા લતા મંગેશકરના અવસાન પર વિવિધ ક્ષેત્રની હસ્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 

error: