Satya Tv News

સુરત ના વરાછા વિસ્તાર ની ઘટના
નકલી કિન્નરોએ પોત પ્રકાશયું
ઘરમાં ઘુસી માતાજી નો પ્રસાદ ખવડાવવા ના નામે વૃદ્ધા ને બે ભાન કરી
ઘરમાં સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 1.41 લાખની ચોરી કરી
ઘટનાને અંજામ આપનાર કિન્નર સીસીટીવી કેમેરામાં કેદ

સુરતના વરાછા વિસ્તાર માં આવેલ પ્રભુદર્શન સોસાયટી માં બંગલા નંબર 5 મા નકલી કિન્નર બની આવેલા ઈસમો એ વૃદ્ધા ને બે ભાન કરી 1.41 લાખ ની ચોરી ને અંજામ આપ્યો હતો.

સુરત ના વરાછા વિસ્તાર મા એવી ઘટના બની કે તમામ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે .. આપણા સમાજ માં કિન્નરો ને માન ની નજરે જોવા માં આવે છે..તમામ લોકો કિન્નરો નું સન્માન કરી તેમને માન સન્માન આપે છે..પરંતુ અમુક લોકો આ વસ્તુ નો ગેરલાભ ઉઠાવી રહયા છે..સુરત ના ના વરાછા વિસ્તાર માં આવેલ પ્રભુદર્શન સોસાયટી માં બંગલા નંબર પાંચ મા આવીજ એક ઘટના સામે આવી છે.. પ્રભુદર્શન સોસાયટી માં બંગલા નંબર પાંચ માં વૃદ્ધા ઘરે એકલા હતા તે દરમ્યાન નકલી કિન્નરો રીક્ષા મા પહોંચ્યા હતા..અને વૃદ્ધા પાસે દાપૂ માંગવાનું નાટક રચી બે ભાન થવાનું કેમિકલ પ્રસાદ મા ભેળવી વૃદ્ધા ને માતાજી નો પ્રસાદ છે આને આરોગો અને વૃદ્ધા ને પ્રસાદ ખવડાવી બે ભાન કરી ઘર માં રહેલ સોના ચાંદી ના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા..જોકે સોસાયટી માં આવતા જતા કિન્નરો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગયા હતા..જે મામલે વરાછા પોલીસે ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સત્યા ટીવી સુરત

error: