Satya Tv News

આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

મિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો

કેસુડાંના ફૂલ વડે ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી

ધૂળેટીના પર્વમાં કેસુડો અનેરૂ સ્થાન પામી ચુક્યો


આજના મોબાઈલ યુગની પેઢીને કેસુડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસુડો જોવા મળતો નથી. ફાગણ મહિનો આવતાં જ કેસુડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે. કેસુડો સોળે કળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે. આ કેસુડો શરીર માટે પણ ઉપયોગી હોવાનુ જાણવા મળ્યું છે.
નેત્રંગ, દેડીયાપાડા અને ઝઘડિયા તાલુકો આદિવાસી તાલુકા રહ્યા છે.આ વિસ્તારના આદિવાસીઓ માટે હોળીનું પર્વએ દિવાળીના પર્વ કરતા પણ અનેક ગણુ મહત્વ ધરાવે છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. અને કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો છે. ત્યારે કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે છે. આમ, પણ કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આ પરંપરાને આજે પણ નેત્રંગ તાલુકા અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી લોકો નિભાવી રહ્યા છે. ઔષધીય રીતે કેસુડાના ફૂલો ગુણકારી હોવાના સંશોધનો પણ થઇ ચૂક્યા છે. ફાગણ માસના ધમધોખતા તાપના દિવસો આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો અનેરૂ સ્થાન પામી ચુક્યો છે. જો કે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે પરંતુ અંતરિયાળ ગામના લોકો આજે પણ કેસુડાના ગુણોને સમજીને કેસુડાંના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાંના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધનો પણ થઈ ચૂક્યા છે. ચર્મરોગ તેમજ અતિસારના રોગીઓને તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે. આમ, કેસુડો શરીર માટે પણ ગુણકારી હોવાનુ જાણવા મળ્યું છે.

વિડિઓ જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: