Satya Tv News

અયોધ્યામાં રામ મંદિર કઈ રીતે બની રહ્યું છે? નિર્માણ કાર્ય ક્યાં સુધી પહોંચી ગયું છે? એ જાણવાની જિજ્ઞાસા આજે દરેકને છે. તેની સાથે જ અયોધ્યાના રામ જન્મભૂમિ પરિસરની 70 એકરમાં બીજું શું શું નિર્માણ થવાનું છે? એ બધુ આજે અમે તમને જણાવીશું. તમે સૌથી પહેલા આ તસવીરોને જુઓ જે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શેર કરી છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સ્થળ પર પથ્થરોના બ્લોકથી ફર્શનું નિર્માણ શરૂ થઈ ગયું છે. આ પહેલા ગર્ભ ગૃહ પર જ્યાં રામલલા બિરાજમાન હતા ત્યાં ચબૂતરાનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે.

ગર્ભ ગૃહ પર ઊંચા ચબૂતરાના નિર્માણ સાથે જ ફર્શનું કામ શરૂ થશે. બાકી મંદિર નિર્માણ સ્થળના મોટા ભાગ પર ફર્શના નિર્માણનું કાર્ય અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે. આ રીતે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ડિસેમ્બર 2023મા દર્શનાર્થીઓ માટે રામ મંદિર ખોલવાના લક્ષ્ય તરફ ઝડપથી વધી રહ્યું છે. તે માટે અયોધ્યા જ નહીં પરંતુ બંસી પહાડપુરમાં પણ સ્થાપિત કાર્યશાળાથી કાઢવામાં આવેલા પથ્થર રામ જન્મભૂમિ સ્થાળ પર પહોંચાડવામાં આવી રહ્યા છે.

શ્રીરામ જન્મભૂમિ પરિસરની 70 એકર જમીનમાં રામ જન્મભૂમિ મંદિર સિવાય ઘણું બધું હશે. નક્ષત્ર વાટિકા હશે જેમાં નક્ષત્રોને અનુરૂપ વૃક્ષારોપણ પણ થશે. એક મ્યૂઝિયમ હશે જેમાં ખોદકામ દરમિયાન મળેલા અવશેષોને રાખવામાં આવે છે. તેમાં એક પુસ્તકાલય પણ હશે. રામ મંદિર અને તેના માટે સંઘર્ષ સિવાય સનાતન ધર્મ સાથે જોડાયેલા પુસ્તકો અને સાહિત્ય ઉપલબ્ધ હશે. શ્રીરામ જન્મભૂમિમાં દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને તે દેખાડવામાં આવશે.

એટલું જ નહીં શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં યજ્ઞશાળા અને સત્સંગ સ્થળ પણ હશે. શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ માટે ત્યાં જ એક રસોઇનું પણ નિર્માણ થશે. જ્યારે કોરિડોરમાં શ્રીરામના જીવન ચરિત્ર પર આધારિત મુર્તિયો હશે. ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત અને સેવક હનુમાનજી અને ભગવાન શંકરનું એક મંદિર પણ રામ મંદિર સાથે બનાવવામાં આવશે. શ્રીરામ મંદિર નિર્માણ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન પૂજન માટે દેશ-વિદેશથી અયોધ્યા આવશે. તેને ધ્યાનમાં રાખતા શ્રીરામ મંદિરની સુરક્ષાનો વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે ક્યાંક કોઈ ચૂક ન રહી જાય.

એટલે ભગવાન શ્રીરામ મંદિર નિર્માણ સમિતિમાં BFSના રિટાયર્ડ DG કે.કે. શર્માને સામેલ કરવામાં આવ્યા છે. તેમના નેતૃત્વમાં CRPF અને સિવિલ પોલીસની એક સંયુક્ત યુનિટ તૈયાર થશે જેમાં ગુપ્ત પોલીસના પણ જવાન સામેલ થશે. રિપોર્ટ્સ મુજબ ડિસેમ્બર 2023મા જ્યારે શ્રીરામ જન્મભૂમિ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે એ જ સમયથી સુરક્ષાની જવાબદારી આ ખાસ યુનિટ સંભાળશે.

error: