મધ્યપ્રદેશની શિવરાજ સરકારે તોફાની તત્વો સામે લાલ આંખ કરી છે. ખરગોનમાં રામનવમીના અવસરે થયેલી હિંસા મામલે રાજ્યની શિવરાજ સરકાર એક્શન મોડમાં આવી છે.સોમવારે તોફાનીઓના મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. શહેરના સંવેદનશીલ છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે.