Satya Tv News

નાવડીમાં બેસવા પડાપડી,ધક્કામુક્કી અને અફરાતફરીનો માહોલ

પોલીસને બોલાવવી પડી

પૂરતી સુવિધાના અભાવે 5થી 7 હજાર લોકો પરિક્રમા કર્યા વગર જ પાછા ફર્યા..

વધતી જતી જનમેદની સામેપૂરતી વ્યવસ્થા કરવા માં જિલ્લા પ્રશાસન તંત્ર ઉણું ઉતર્યું

સેવાભાવિ સંસ્થા દ્વારા સેવાની સરવાણી

રામ ભરોશે ચાલતી પરિક્રમા..

નાવડી ઉંધી વળે કે કોઈ ડૂબી જાય તો મોટી સંખ્યામાં લોકોને બચાવવાં પૂરતા લાઈફ જેકેટ પણ નથી કે તરવૈયાની કોઈ ટુકડી પણ નથી!

ચૈત્ર માસમાં ૧લી એપ્રિલથી ગુજરાતમાં આવેલી એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ નર્મદાતટ માંગરોળ ખાતેથી થયો છેઆ પરિક્રમા 21 કિ.મી.નીઅને ૩૧ દિવસ સુધી ચાલવાની છે. અહીં રોજેરોજ પરિક્રમા કરનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. શનિવાર સુધીમાં ૫૦ હજારથી વધુ ભક્તો ઉમટી ચુક્યા છે.પણ આજે રવિવારનોરજાનો દિવસ હોવાથી આજે રવિવારે સૌથી વધુ સંખ્યામાં પરિક્રમાવાસીઓ નો માનવ મહેરામણ ઉમટયો હતો.આજે રવિવારે એક જ દિવસમાં 25 હજારથી વધુ પરિક્રમાવાસીઓની ભારે ભીડ જામી હતી.40ડિગ્રી ધોમ ધખતા તાપમા પણ ભક્તોમાં અગાધ આસ્થાના દર્શન થતાં હતા. જોકેહજારોની જન મેદની ઉમટી હોવાથી નાવડી ઓછી હોવાથી નાવડીમાં બેસવા માટે ધક્કામુક્કી અને પડાપડી થતી જોવા મળી હતી. અહીં કોઈ સ્વયં સેવકો ન હોવાથી અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિને કાબુ માં લેવા પોલીસને બોલાવવી પડી હતી.પત્રકાર દીપકભાઈ જગતાપને ભક્તોએ જાણ કરતા દીપકભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.જેમાં નાયબ પોલીસ વડા મોદી અને પીએસઆઇ કે કે પાઠક ની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી.

અહીં સવારથી જ લાંબી લાંબી કતારોમાં પરિક્રમાવાસીઓ ઊભેલા જોવા મળતા હતા.તેમને ભારે પરેશાની ભોગવવી પડી હતી. નાવડીમાં ચડવા જતા લોકો પાણીમાં પડ્યા હતા. ધક્કામુક્કીમાં પડવા વાગવાના બનાવો પણ બન્યા હતા.

અહીં રહેવા, જમવા તથા અન્ય જરૂરી પૂરતી સુવિધા નહોવાથી 5થી 7 હજારની પબ્લિક પરિક્રમા કર્યા વગર જ પાછા જવાનો વારો આવ્યો હતો. નાવડીની સંખ્યા ઓછી હોવાથી આ સમસ્યા સર્જાઈ હતી.નાવડીની સંખ્યા ઓછી હોવાથી ઘેટાં બકરાની જેમ ખીચોખીચ ભરેલી નાવડીમાં પણ ધક્કામુક્કીના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નાવડી ઉંધી વળે કે કોઈ ડૂબી જાય તો મોટી સંખ્યામાં લોકોને બચાવવાં પૂરતા લાઈફ જેકેટ પણ નથી કે તરવૈયાની કોઈ ટુકડી પણ નથી કે કોઈ દુર્ઘટના ઘટે તો 108કે મેડિકલની પણ કોઈ સારી સુવિધાઓ નથી.લોકો ગરમીમાં બેભાન થવાના ચક્કર આવવવાના કિસ્સા બને તે માટે મેડિકલ સુવિધા ના અભાવે કઈ થાય તો જવાબદારી કોની?કાયમી પૂરતો પોલીસ બન્દોબસ્ત પણ નથી.બધુ રામ ભરોશે ચાલી રહ્યું છે.આજે 25,000ની જન મેદની ઉમટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસની ટીમ પહોંચી હતી અને પરિસ્થિતિને સંભાળી હતી

માંગરોળ સુધી આવવા જવા માટે બસો ની સંખ્યા પણ વધારવામાં આવે તેવી પણ માંગ છે. ખાનગી વાહનો લઈને આવતા વાહનોની પાર્કિંગ સમસ્યા પણ ઉભી થઈ છે. આડેધડ પાર્કિંગ થાય છે.તેમજ ૪૦ ડિગ્રી તાપમાન પરિક્રમા માર્ગમાં વનવિભાગ દ્વારા કુટિરો, છત્રીઓ, બેસવા માટે વધુ બાંકડાઓ અને વિસામો મૂકે તે જરૂરી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો લીંબુ શરબત છાશ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને આવી વ્યવસ્થાઓને સાધનો પણ ટાંચા પડે છે ત્યારે પ્રશાસન દ્વારા આવી વ્યવસ્થાઓ કરાય તેવી પણ માંગ છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: