Satya Tv News

સુરત માં ભગવાન પરશુરામની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ

સુરતના વરાછા વિસ્તાર માં યોજાઈ ભગવાન પરશુરામ ની શોભાયાત્રા

સિદ્ધકુટિર ખાતે શોભાયાત્રા ની પુર્ણાહુતી કરવામાં આવી

સુરત ખાતે વરાછા વિસ્તાર માંથી ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં બ્રહ્મ સમાજ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહી શોભાયાત્રા માં જોડાયા હતા..

YouTube player

ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ નિમિતે સુરત શહેર માં અનેક કાર્યક્રમ યોજાયા હતા..જેમાં વરાછા વિસ્તાર માં આવેલી હંસ સોસાયટી માં દર વર્ષે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવે છે જેમાં ભગવાન પરશુરામ ની વેશભૂષા તેમજ ભગવાન શિવ અને પાર્વતીમાતા ની વેશભૂષા ધારણ કરી શોભાયાત્રા યોજાઈ હતી..જેમાં ડી જે ના તાલે સૌ કોઈ ભગવાન પરશુરામ ની ભક્તિ માં રંગાયા હતા..ભગવાન પરશુરામ ની શોભાયાત્રા વરાછા ના વિવિધ વિસ્તાર માં ફરી હતી..હંસ સોસાયટી માંથી નીકળી હતી અને બરોડા પ્રિસ્તેજ સહિત ના વિસ્તાર માં ફરી હતી અને સિદ્ધકુટિર ખાતે શોભાયાત્રા ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: