Satya Tv News

ગુજરાતના શિક્ષકોનીએકતાનો પરચો ગાંધીનગરમા દેખાયો

વિવિધસંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારાહજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતેવિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો

નર્મદાના 500થી વધુ શિક્ષકો જોડાયા

આજે ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું વિરાટ શક્તિપ્રદર્શનજોવા મળ્યું હતું.સૌએ એકતાનો પરચો બતાવી મહાઆંદોલનના શ્રી ગણેશાય કર્યા હતા.

આજે ગાંધીનગરમા વિવિધસંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડી વિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો જેમાં નર્મદાના 500થી વધુ શિક્ષકો જોડાયા હતા

વિધાનસભા ચૂંટણી પહેલાં મહાઆંદોલનશરૂ થવાના એંધાણ શરૂ થયાં છે. રાજ્યસરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલનઅંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવી અને ઘરણાંનાંકાર્યક્રમની શરૂઆતકરી છે. આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાનીરચના પણ કરાઈ છે. ત્યારે આજે સોમવારેફરીવાર વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાંસત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

કર્મચારીઓના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1લી એપ્રિલ,2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવીછે. તેને બદલે નવી પેંશન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત,ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી
કરવામાં આવી રહી છે. નવી પેન્શનયોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએજીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. ત્યારેનવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્ટાના યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: