અહીં ચન્દ્રપુર મૂળ રોડ પર બે ટ્રક એકબીજા સાથે ભયાનક રીતે ટકરાયાં હતા જેના કારણે બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં બેઠેલા ડ્રાઈવર સહિતના લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માત થનાર આ ટ્રક લાકડાથી ભરેલો અને ટેન્ક ડીઝલથી ભરેલું હોવાના કારણે આગ ફાટી નિકળી હતી બાદમાં ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. મૃતકોના શબ ચન્દ્રપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના પોસ્ટમૉર્ટક કરવામાં આવશે.