Satya Tv News

બોલિવૂડ સ્ટાર અજય દેવગન, કંગના રનૌત, ઝરીન ખાન, શરદ કેલકર, કોમેડિયન કપિલ શર્મા, ગાયિકા હર્ષદીપ કૌર, રણવીર સિંહ, શહનાઝ ગિલ સહિતના સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો.

પંજાબી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ આઘાતમાં છે. પંજાબના માનસાના જવાહર ગામમાં AK 47થી ફાયરિંગ કરીને સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. અનેક કલાકારોએ પંજાબમાં કાનૂન-વ્યવસ્થા અંગે સવાલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સિદ્ધૂ માત્ર 28 વર્ષની ઉંમરમાં પંજાબી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર પહોંચી ગયા હતા. દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ તેમના ચાહકો હતાં. તેમની હત્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. તમામ કલાકારોએ સિદ્ધૂ મૂસેવાલાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સંગીતકાર સલીમ મર્ચન્ટ, વિશાલ દદલાણી, KRK (કમાલ આર ખાન) સહિતના સેલેબ્સે અફસોસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે 28 મેના રોજ સિદ્ધૂની સુરક્ષા વ્યવસ્થા ઓછી કરવામાં આવી હતી.

error: