Satya Tv News

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબી દ્વારા ક્લિનચીટ આપી દેવાયા બાદ રિયા ચક્રવર્તી સામે થયેલા એનસીબી કેસોમાં પણ ફેરતપાસની માંગ તેના વકીલે કરી છે. જોકે આ માગણીથી સુશાંતના ચાહકો એટલા રોષે ભરાયા હતા કે તેમણે બોયકોટ બોલિવુડના ટ્રેન્ડ ચલાવી દીધો હતો.

આર્યન ખાન સામે એનસીબીને કોઈ પુરાવા મળ્યા ન હતા. એનસીબીએ પોતે જ કરેલી કબૂલાત મુજબ આર્યન પાસે કોઈ ડ્રગ પણ મળ્યું ન હતું અને તેની વ્હોટસ એપ ચેટને સમર્થન આપે તેવા કોઈ ભૌતિક પુરાવા પણ હાથ લાગ્યા ન હતા.

એનસીબીએ સુશાંત કેસ બાદ રિયા ચક્રવર્તી સામે ત્રણ કેસ કર્યા હતા. તેને પગલે બોલિવુડ સ્ટાર્સની પરેડ એનસીબી ઓફિસમાં થઈ હતી.

રિયાના વકીલ સતીશ માનશિંદેએ જ શરુઆતમાં આર્યન કેસમાં પણ દલીલો કરી હતી. હવે સતીશ માનશિંદેએ આર્યન કેસને પગલે રિયા ચક્રવર્તી સામેના કેસોમાં પણ ફેરતપાસની માગણી કરી હતી.

પરંતુ, હજુ પણ સુશાંતના કેસમાં ન્યાયની ઝંખના કરતા રહેવા કેટલાય ચાહકોને આ વાત રાસ આવી નથી. તેમણે રિયા અને બીજા ડ્રગ સેવન કરનારા કે ડ્રગ સપ્લાય કરનારા બોલિવુડ સ્ટાર્સને એક જ કેટેગરીમાં ગણી બોયકોટ બોલિવુડનો ટ્રેન્ડ ચલાવ્યો હતો. તેમએ આક્ષેપ કર્યો હતો કે બોલિવુડને સુશાંત કેસનું સત્ય બહાર આવે તેમાં નહીં પરંતુ તેના કસૂરવારો છૂટી જાય ેતમાં જ રસ છે.

લોકોએ આમીર અને કરીનાને પણ આ જ બોલિવુડનો હિસ્સો ગણાવી તેમની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનો પણ બહિષ્કાર કરવાની અપીલ જારી કરી દીધી હતી.

error: