Satya Tv News

મહારાષ્ટ્રના રાયગઢમાંથી એક હૃદયને ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક જનેતાએ પોતાના 6 સગીર બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યાં. જણાવવામાં આવ્યું છે કે ઘરકંકાસને કારણે આ ભયાનક પગલું ઉઠાવ્યું.માતાએ ઘરકંકાસને કારણે આ ભયાનક પગલું ઉઠાવ્યું બાળકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યાંમાંએ પોતાના બાળકોને જ કૂવામાં ફેંકી દીધા

આ મામલો મુંબઈથી 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના ખારાવલી ગામનો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક બાળકોમાં પાંચ બાળકીઓ સામેલ છે. ખરેખર, મહિલાના સાસરિયા પક્ષના લોકોએ મહિલા સાથે મારામારી કરી હતી. તેથી તેને ગુસ્સો આવ્યો અને પોતાના બાળકોને જ કૂવામાં ફેંકી દીધા. જેનાથી બાળકોના મોત થયા. મૃતક બાળકોની ઉંમર 18 મહિનાથી 10 વર્ષની વચ્ચે હતી. એક ન્યુઝ એજન્સી મુજબ બાળકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. તો પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. આ મામલાની તપાસ ચાલુ છે.

આની પહેલા પણ આવો જ એક મામલો મરાઠવાડા વિસ્તારમાંથી સામે આવ્યો હતો. અહીં માંએ તેના 2 વર્ષના બાળકને કૂવામાં ફેંકી દીધો. ત્યારબાદ માંએ પોતાના દેવરને આ ઘટના અંગે જણાવ્યું. શરૂઆતમાં તેની આ વાતની લોકો અવગણના કરતા હતા. પરંતુ જ્યારે સાંજે બાળકો દેખાયા નહીં ત્યારે સ્થાનિકોએ કૂવામાં તપાસ કરી જ્યાં પુત્રની લાશ પડી હતી. લાતુર જિલ્લાના નિલંગા પોલીસ સ્ટેશનમાંથી મળેલી જાણકારી મુજબ મહિલાનો પતિ સાથે ઝગડો થયો હતો. ત્યારબાદ પતિ પત્નીથી 20 કિલોમીટર દૂર જઇને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. પરંતુ તે પુત્રને મળવા આવતો હતો. એક દિવસ જ્યારે તે પુત્રને મળવા આવ્યો ત્યારે પતિ-પત્નીમાં ફરીથી કોઈ વાતને લઇને ઝગડો થયો. ત્યારબાદ ગુસ્સામાં મહિલાએ પુત્રને કૂવામાં ફેંકી દીધો.

error: