Satya Tv News

ભરૂચના દયાદરા ગામના ગ્રામજનોએ હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.સ) ની શાનમાં ટિપ્પણી કરી ગુસ્તાખી કરનાર નૂપુર શર્મા તેમજ નવીન ઝીંદાલ વિરુદ્ધ આક્રોશ ઠાલવી બંધ પાળી ને વિરોધ નોંધાવ્યો હતો.હાલ વિશ્વ સહિત સમગ્ર દેશભરમાં પયગંબર સાહેબના ગુસ્તાખો વિરુદ્ધ વિરોધ નો વંટોળ ફૂંકાયો છે ત્યારે હવે વિરોધ ની આગ શહેરો ના સીમાડા ઓળંગી ગામડાઓ સુધી પ્રસરી રહી છે. ભરૂચ ના દયાદરા ગામે પણ ગ્રામજનો તેમજ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી નબી ની શાનમાં વાણી વિલાસ કરનારાઓ નો વિરોધ નોંધાવવા સજ્જડ બંધ પાળવામા આવ્યો હતો.સાથે જ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિશે બફાટ કરી મુસ્લિમો ની ધાર્મિક લાગણી દુભાવનાર અનિષ્ટ તત્વો ની સામે સખતમાં સખત પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી.વારે તહેવારે નબી ની શાનમાં ગુસ્તાખી કરી મજાક કરનારાઓ સામે સરકાર દ્વારા કાયદો ઘડી ને આવા દુષ્ટ તત્વો સામે લગામ કસવામાં આવે તેવી લાગણી પણ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

જર્નાલિસ્ટ ઝફર ઘડીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: