પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. આગચંપી અને પથ્થરમારાને કારણે પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. આ ફાયરિંગમાં એક 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ સિવાય મોડી રાત્રે અન્ય એક વ્યક્તિના મોતના સમાચાર પણ છે, જોકે પ્રશાસને એની પુષ્ટિ કરી નથી. અન્ય 7 લોકોને ગોળી વાગી છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
વિરોધ દરમિયાન તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. SSP સહિત 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા. રાંચી આવેલા બિહાર સરકારના માર્ગ નિર્માણમંત્રી નીતિન નવીનના વાહન પર પણ તોફાનીઓએ હુમલો કર્યો હતો. તેઓ ભાજપના ક્વોટામાંથી નીતીશ સરકારમાં મંત્રી છે.
પથ્થરમારો દરમિયાન કેટલાક લોકોએ મહાવીર મંદિરમાં સંતાવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તોફાનીઓએ મંદિર પર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી હિન્દુ સંગઠનો પણ નારાજ થયાં અને તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ પછી રાંચીમાં સાવચેતી માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. જોકે અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે વહીવટીતંત્રે કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે.
રાંચીમાં ઈન્ટરનેટ સુવિધા શનિવારે સવારે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી હતી. મોડી સાંજે હિન્દુઓએ મહાવીર મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કર્યું હતું. જોકે વહીવટીતંત્રએ વાતચીત કર્યા બાદ આ લોકોને ઘરે પરત મોકલી દીધા હતા.
યુપીનાં 8 શહેરમાં ફરી હિંસાઃ નમાઝ બાદ પ્રયાગરાજ-સહારનપુરમાં પથ્થરમારો, મુરાદાબાદમાં પ્રદર્શન; 136 તોફાનીની અટકાયત
કાનપુરમાં 3 જૂને થયેલી હિંસાના માત્ર 7 દિવસ બાદ જ યુપીના 8 જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી હતી. શુક્રવારની જુમ્માની નમાજ બાદ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. મોહમ્મદ પયગંબર પર બીજેપી નેતા નૂપુર શર્માની ટિપ્પણીથી લોકો નારાજ હતા. પ્રયાગરાજ, મુરાદાબાદ, સહારનપુર, ફિરોઝાબાદ, આંબેડકર નગર, હાથરસ, અલીગઢ, જાલૌનમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. પોલીસ-પ્રશાસન બે દિવસથી એલર્ટ હતું, પરંતુ છેલ્લી ઘડીએ તમામ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ નિષ્ફળ ગઈ હતી.
સૌથી વધુ હોબાળો પ્રયાગરાજમાં થયો હતો. અર્ધલશ્કરી દળોના કેટલાક જવાનો પણ ઘાયલ થયા હતા. એ જ રીતે દેવબંદમાં અલ્લાહ-હુ-અકબરના નારા લાગ્યા હતા. જોકે કાનપુરમાં ભારે પોલીસ-બંદોબસ્તને કારણે બધું નિયંત્રણમાં રહ્યું હતું. સહારનપુરમાં 45, પ્રયાગરાજમાં 37, હાથરસમાં 20, મુરાદાબાદમાં 7, ફિરોઝાબાદમાં 4, આંબેડકરનગરમાં 23ની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં 136 પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે.
પ્રયાગરાજમાં મુસ્તફા કોમ્પ્લેક્સ પાસે પથ્થરમારો કરતા તોફાનીઓએ પીએસી વાનને આગ ચાંપી દીધી હતી. ફાયરબ્રિગેડે તરત જ આગ પર કાબૂ મેળવ્યો હતો.આંબેડકરનગરના ટાંડામાં શુક્રવારની નમાઝ બાદ મુસ્લિમોએ પ્રદર્શન કર્યું હંતુ. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારની નમાઝની લગભગ 40 મિનિટ બાદ મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો રસ્તા પર આવી ગયા હતા.
જાલૌનઃ નૂપુર શર્માની ધરપકડ કરવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
નૂપુર શર્માની ધરપકડ અને કાર્યવાહીને લઈને જાલૌનમાં ભારે હોબાળો થયો હતો. નમાઝ પછી નમાઝીઓએ જોર જોરથી નારા લગાવવાનું શરૂ કર્યું હતું. પછી તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. પ્રદર્શન જોઈને એડીજી કાનપુર ઝોન ડીએમ, એસપી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે લોકોના શાંત કર્યા હતા.
મુરાદાબાદમાં હોબાળા બાદ પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સગીર બાળકો ત્યાંથી ભાગી રહ્યા છે.
મુરાદાબાદમાં હોબાળા બાદ પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સગીર બાળકો ત્યાંથી ભાગી રહ્યા છે.
જીવ બચાવવા લોકો મહાવીર મંદિરમાં છુપાયા હતા
મહાવીર મંદિર પર પથ્થરમારો દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવા મંદિરમાં છુપાઈ ગયા હતા. આ પછી પણ મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટિયરગેસના સેલ છોડ્યા હતા. હવામાં ગોળીબાર પણ કર્યો હતો. ટોળાએ અન્ય ધારાસભ્ય અમિત યાદવની કારના કાચ તોડી નાખ્યા હતા.
મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા
મુસ્લિમ સંગઠનો શુક્રવારે ભાજપની હકાલપટ્ટી કરાયેલી પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધમાં સવારથી જ ડેઈલી માર્કેટની 3 હજારથી વધુ દુકાનો સવારથી બંધ રહી હતી. શુક્રવારની નમાઝ બાદ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. જ્યારે પોલીસે તેમને અટકાવ્યા તો ભીડ ઉશ્કેરાઈ ગઈ અને તેઓ પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. ઉર્દૂ લાઇબ્રેરી અને મહાવીર મંદિર પાસે દેખાવકારોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી ઉશ્કેરાયેલી ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવો પડ્યો, એ દરમિયાન ઘણા અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
રાંચીના મુખ્ય માર્ગ પર પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં ડેઈલી માર્કેટના સ્ટેશન ઈન્ચાર્જ પ્રભારીને માથામાં વાગ્યું હતું, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.એક પોલીસકર્મી સિનિયર ઓફિસર સાથે ફોન પર વાત કરતા કહે છે, ‘જુઓ, પથ્થરમારો થઈ રહ્યો છે. સાહેબ, પથ્થર ચાલી રહ્યો છે, અમને કમર પર વાગ્યું છે. મારો મોબાઈલ તૂટી ગયો છે. ઝડપથી ફોર્સ મોકલો. સાહેબ, લોકો પથ્થરમારો કરી રહ્યા છે.
રાંચીના મુખ્ય માર્ગ પર સ્થિત ઈકરા મસ્જિદમાં શુક્રવારની નમાઝ બાદ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.
મુખ્ય બજારમાં તમામ દુકાનો બંધ, ડ્રોનથી સર્વેલન્સભીષણ હિંસા બાદ રાંચીના ડીઆઈજી અનીશ ગુપ્તાએ આગેવાની લીધી હતી. ટિયરગેસના સેલ સતત છોડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ જવાનોને મુખ્ય માર્ગ પર તહેનાત કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાઝને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં અડધો ડઝનથી વધુ ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
રાંચીના મુખ્ય માર્ગ પર પોલીસ અને તોફાનીઓ સામસામે આવી ગયા. પોલીસે તેમને રોકવા માટે પિસ્તોલ અને એકે-47 વડે ગોળીબાર કર્યો હતો.
CMએ કહ્યું- ગભરાવાની જરૂર નથી
ઘટનાના ચાર કલાક પછી ઝારખંડના CM હેમંત સોરેને કહ્યું હતું કે મને અચાનક આ ચિંતાજનક (વિરોધ) ઘટના વિશે માહિતી મળી. ઝારખંડના લોકો હંમેશાંથી ખૂબ જ સંવેદનશીલ રહ્યા છે, ગભરાવાની જરૂર નથી. હું બધાને અપીલ કરું છું કે આવી કોઈપણ ગુનાકીય પ્રવૃત્તિથી લોકો દૂર રહે.
જ્યારે પોલીસે દેખાવકારોને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમણે રસ્તાની બાજુમાં પાર્ક કરેલાં વાહનોને તોડવાનું શરૂ કર્યું. આ દરમિયાન ફોટો જર્નલિસ્ટની સ્કૂટી પણ તૂટી ગઈ હતી.લાઠીચાર્જ અને ટિયરગેસના સેલ છોડવા છતાં પણ ટોળું કાબૂમાં ન આવતાં પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. 7 લોકોને ગોળી વાગી છે.હિંસા બાદ મુખ્ય માર્ગ પર રેપિડ એક્શન ફોર્સ અને ઈકો કંપનીને પણ તહેનાત કરવામાં આવી હતી, પરંતુ તે પણ ટોળાની સામે ઓછી પડી હતી.ઈકરા મસ્જિદમાં શુક્રવારની નમાઝ બાદ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. જ્યારે તેઓ મહાવીર મંદિર તરફ જવા લાગ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.જ્યારે બદમાશો બેકાબૂ બન્યા ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. તોફાનીઓ એકબીજાના માથે પડ્યા હતા. ત્યાર બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.પોલીસે લાઠીચાર્જ અને ફાયરિંગ કરીને તોફાનીઓને વિખેરી નાખ્યા હતા. આ દરમિયાન તોફાનીઓએ શેરીઓમાં ઘૂસીને વાહનોને આગ ચાંપી દીધી હતી.