Satya Tv News

શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યો છે. જે બાદ તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું. આ અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે, શ્રીલંકમાં ટોપના વકીલો, માનવાધિકાર ગ્રુપ અને રાજકીય પાર્ટીઓના સતત પ્રેશર બાદ પોલીસે શનિવારે સરકાર વિરોધી પ્રદર્શનો પહેલા કર્ફ્યૂ હટાવી દીધો હતો. આ કર્ફ્યૂ સરકાર વિરોધી પ્રદર્શનોને રોકવા માટે કોલંબો સહિત દેશના પશ્ચિમી પ્રાંતમાં સાત ડિવિજનમાં લગાવામાં આવ્યો હતો.

error: