Satya Tv News

રાજપીપલા નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના અસરગ્રસ્ત

પરિવારોને કરાયું ફુડ પેકેટનું વિતરણ કરાયું

નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સર્જાયેલી પરિસ્થિતિમાં આગમચેતીના ભાગરૂપે જિલ્લામાં અંદાજે ૮૯૭૫ જેટલા લોકોના સલામત સ્થળાંતરકરાયું છે.અને જિલ્લા પ્રસાશન દ્વારા કરાયેલી ભોજન – ફુડ પેકેટ વગેરે જેવી વ્યવસ્થાની જરૂરિયાત જણાતા ઝાડેશ્વર ચોકડી પાસેની આત્મિય ગ્રીન સ્કુલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણભાઈ કાછડિયાએ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો તુરંત જ ટેલિફોનિક સંપર્ક સાધીને નર્મદા જિલ્લાના સ્થળાંતરિત અને અસરગ્રસ્ત પરિવારો માટે ફુડ પેકેટ પોતાની શાળા પરિવાર તરફથી તૈયાર કરીને પુરા પાડવાની સામેથી આ તત્પરતા દર્શાવી હતી. અને તેના અનુસંધાને એક હજાર જેટલા ફુડ પેકેટ તેમના તરફથી તૈયાર કરીને રાજપીપલા ખાતે મોકલી આપ્યા હતા. આ ફુડ પેકેટનું રાજપીપલા નગરપાલિકાની ટીમો દ્વારા આજે શહેરના વિવિધ અસરગ્રસ્ત પરિવારોમાં ઘેર-ઘેર પહોંચીને તેનુ વિતરણ કરાયું હતું.

આ ફુડ પેકેટમાં પરિવારની બે વ્યક્તિઓ ભોજન લઈ શકે તે રીતની ખાદ્યસામગ્રી પેક કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આત્મિય ગ્રીન સ્કુલના પરિવારના મોભી પ્રવિણભાઈ કાછડિયને જિલ્લા વહિવટીતંત્ર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

દીપક જગતાપ,રાજપીપલા

error: