Satya Tv News

હરિયાણાના નૂંહ (મેવાત) જિલ્લામાંથી એક ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થઈ ગયા છે. કહેવાય છે કે એક ઓટો તેજ ગતિએ ટ્રકની ચપેટમાં આવી ગયો હતો. જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, હરિયાણાના મેવાતમાં રફ્તારથી ભયંકર મોતના દ્રશ્યો જોવા મળ્યા હતા. હકીકતમાં એક ઓટો પર આ લોકો સવાર થઈને જઈ રહ્યા હતા. તે જ સમયે ઓટો ફુલ સ્પિડે હાઈવાની ચપેટમાં આવી ગયો હતો. કહેવાય છે કે, હાઈવા પલ્ટીને ઓટો પર પડી હતી. જેમાં બેઠેલા 7 લોકોના મોત થઈ ગયા હતા. દુર્ઘટના બાદ આજૂબાજૂના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

error: