Satya Tv News

ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે આજે થોડીક રાહત મળી છે. દેશમાં ગઇકાલે 20,279 કેસ નોંધાયા બાદ આજે કેસમાં થોડોક ઘટાડો થતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,866 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં 18,148 દર્દીઓ સાજા થયા છે. તો વળી કોરોના કહેરને કારણે દેશમાં 41 લોકોના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,50,877 થઈ ગઈ છે. આ સાથે આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,866 કેસ નોંધાયા છે. જેને લઈ ગઇકાલની સરખામણીએ આજે થોડી રાહત મળી છે.

error: