Satya Tv News

કોરોનાની ચોથી લહેરના સંભવિત ખતરા સામે છેલ્લા કેટલાય દિવસથી કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. જેને લઈને લોકોમાં ચિંતા જન્મી છે. તેવામાં આજે 979 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં 979 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જેની સામે 873 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 5781 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 14 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.તો બીજી તરફ રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. આજે 3,19,537 લોકોનું રસિકરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

error: