Satya Tv News

રાજસ્થાનના જોધપુર ડિવિઝનના પાલી જિલ્લામાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યાત્રાળુઓનાં મોત નીપજ્યાં હતાં. પાલીથી પગપાળા રામદેવરા જઈ રહેલા યાત્રાળુઓના એક સંઘ પર પાછળથી આવી રહેલું ટ્રેલર ફરી વળ્યું હતું જેમાં પાંચ યાત્રીઓ કચડાઈ ગયા હતા. ટ્રેલરના ડ્રાઈવરે કોઈ કારણસર વાહન પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના બની હતી.

ત્રણ યાત્રાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં અને અડધો ડઝન અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે યાત્રાળુઓએ દમ તોડી દીધો હતો. ઘટના બાદ ટ્રેલર ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.

error: