Satya Tv News

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ આપી અગત્યની જાણકારી
22 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે


હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક અગત્યની ઘોષણા કરશે
અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક અગત્યની જાણકારી આપતા જણાવ્યું કે, આવતીકાલે 22 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે 22 ઓગસ્ટની સવારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે.

મળતી માહિતી મુજબ 22 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ હિંમતનગર જવા રવાના થશે. અને હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક અગત્યની ઘોષણા કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે.

error: