Satya Tv News

બિહારની રાજધાની પટનામાં 23થી 25 ઓગષ્ટ સુધી ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. શહેરના ડાકબંગલા સ્ક્વેર, ગાંધી મેદાન, બેઈલી રોડ અને બોરિંગ રોડ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ રહેશે. ગર્દાનીબાગ સિવાય કોઈપણ શહેરી વિસ્તારમાં ધરણા-પ્રદર્શનની અનુમતિ આપવામાં આવશે નહીં. સોમવારે શિક્ષકોની ભરતીને લઈને થયેલા હોબાળા બાદ વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે

error: