Satya Tv News

ડૉ.પ્રફુલ વસાવા કેવડીયા બચાવો આંદોલન સમિતિ નાં પ્રણેતા રહી ચૂક્યા છે;

ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, અત્યાર સુધી કુલ 29 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે, અગાઉ કુલ 19 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા બાદ આજે ત્રીજી યાદીમાં વધુ 10 ઉમેદવારો આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે, આ વખતની ચૂંટણીમાં તત્રિપાંખિયો જંગ જામશે.

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા નાંદોદ (રાજપીપળા) બેઠક પર થી પ્રોફેસર તરીકે રહી ચૂકેલા ડૉ.પ્રફુલ વસાવા ની પસંદગી કરવામાં આવી છે. જેઓ કેવડીયા બચાવો આંદોલન સમિતિનાં પ્રણેતા રહ્યા છે, કેવડિયા વિસ્તારમાં આદિવાસીઓના જમીન બાબતે તેઓએ ઘણો સંઘર્ષ કરવા માટે નેતૃત્વ કરી આદિવાસી સમાજની જમીન બચાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે. ત્યારે તેઓને
આમ આદમી પાર્ટી દ્વારા નાંદોદ (રાજપીપળા) વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેઓ નાંદોદ બેઠક પર થી ચૂંટણી લડશે.

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: