દેશ ની નામાંકિત સંસ્થા એ.એમ.પી. દ્ધારા બેસ્ટ શિક્ષક નો એવોર્ડ યાકુબ ઉઘરાદાર ને એનાયત કર્યો
કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે વર્ષો થી જોડાયેલા યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ વિભાગમાં તેમની કામગીરી ના લઈ ને અનેક સિદ્ધિઓ મેળવી ચુક્યા છે.તેઓ આમોદ ના સીમરથા પ્રાથમિક શાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓને અગાઉ રાજ્ય પારિતોષક નો એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા હતા.પુનઃ તેમણે કોલવણા ગામના ગૌરવ માં વધારો કર્યો છે.વિદ્વવાન લોકો થી ચાલતી સંસ્થા એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ ૨૦૧૬ થી રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રમાં રિસર્ચ,મોટીવેશનલ અને ટેલેન્ટ સર્ચ જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે.અને સાથે શિક્ષણ ના અલગ અલગ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો અને આચાર્યની ઓનલાઈન પ્રોફાઈલ મંગાવી તેનુ મૂલ્યાંકન કરી એવોર્ડ આપે છે.છઠ્ઠા નેશનલ એવોર્ડ ફોર એજ્યુકેશન ૨૦૨૨ નો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ સંસ્થાએ કોલવણા ના યાકુબભાઈ ઉઘરાતદાર ને એનાયત કરતા ગામ માં ખુશી નું મોજું ફરી વળ્યુ છે.ગામનું ગૌરવ વધારવા બદલ સરપંચ ઝફર ગડીમલ અને ગામ આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.