Satya Tv News

લોકપ્રિય એક્ટર અરુણ બાલીનું શુક્રવારે (7 ઓક્ટોબર) સવારે 4:30 વાગ્યે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.

પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ ન્યુરોમસ્ક્યુલર રોગથી પીડાતા હતા. આ એક ઓટોઈમ્યુન રોગ છે, જેમાં જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ વચ્ચે અવરોધ ઊભો થાય છે. આ કારણે તેમને બોલવામાં તકલીફ પડતી હતી. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેનું મોત કયા કારણોસર થયું હતું.

error: