Satya Tv News

ભરૂચમાં નારાયણ શાળામાં કાર્યક્રમ
નારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમ
કાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

નારાયણ વિદ્યાલય શાળાના શિક્ષકો સતત નવા જ્ઞાનથી અપડેટ અને અપગ્રેટ રહે તથા વૈશ્વિક પ્રવાહો સાથે તાલમેલ મિલાવી શકે તેમ જ વર્ગખંડમાં શ્રેષ્ઠ વિષયવસ્તુ અને ઉત્તમ કૌશલ્યો પ્રદાન કરતા રહેતી હેતુથી આ જ્ઞાન સત્ર નું આયોજન કરવામાં આવ્યું છે આ જ્ઞાન સત્રમાં 65 શિક્ષકોએ 45 જેટલા વિષયો પર વિવિધ પ્રવૃત્તિઓ પાવરપોઈન્ટ નાટક ગીત ડિબેટ પ્રશ્નોત્તરી થકી પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ પ્રસંગે સ્વામી જય રામદાસ બાપુ,રાજ્યના મુખ્ય નાયક દંડક વિધાનસભાના દુષ્યંતભાઈ પટેલ,કાર્તિકે શુક્લ મેનેજિંગ ટ્રસ્ટી વિશ્વભારતી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટ અમદાવાદ, હેમંત પ્રજાપતિ ચેરમેન નારાયણ વિદ્યાલય તેમજ વિશેષ તજજ્ઞ કે જેમને નિર્ણાયક તરીકે સેવા આપી છે એવા પ્રોફેસર ડોક્ટર જયંતકુમારએ શાહ,અદિતિબેન અર્પિત શુક્લ,નારાયણ વિદ્યાલયના ડો.ભગુભાઈ પ્રજાપતિ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી પોતાના અનુભવ અને જ્ઞાનનું પ્રદાન જ્ઞાનસ્ત્રમાં ભાગ લેનાર શિક્ષકોને કર્યું હતું.

વીડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: