Satya Tv News

નુપુર શર્માના નિવેદન બાદ તેમના સમર્થકો પર એક પછી એક હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વિવાદને થોડા મહિનાઓ વીતી ગયા છે, તેમ છતાં નૂપુર શર્માના સમર્થકો પર હુમલો થવાની ઘટના ચાલૂ જ છે. ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર-44માં નુપુર શર્મા વિશે ચર્ચા કરવુ એક બીજેપી કાર્યકર્તાને ભારે પડ્યુ હતુ.

હકીકતમાં, જ્યારે તે મિત્રો સાથે નૂપુર શર્માના નિવેદનનું સમર્થન કરનારા લોકો પર હુમલા વિશે ચર્ચા કરી રહ્યો હતો, ત્યારે અન્ય સમુદાયના 12 લોકોએ તેના પર પાછળથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘાયલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પીડિત યુવક અભિષેક રાઠોડે જણાવ્યું કે, તે શુક્રવારે રાત્રે 11 વાગે નોઈડા સેક્ટર-44ના માર્કેટમાં મિત્રો સાથે ઊભો હતો. તે દરમિયાન તે લોકો નૂપુર શર્માના નિવેદનનું સમર્થન કરનારાઓ પર હુમલાની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે તેની વાત ત્યાં ઉભેલા અન્ય સમુદાયના લોકોએ સાંભળી અને અચાનક તેના પર તૂટી પડ્યા હતા. ખૂબ માર્યા પછી તેણે કહ્યું, ‘સર તન સે જુડા’. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલામાં કુલ 12 લોકો સામેલ હતા.

અભિષેકે જણાવ્યું કે, જ્યારે હુમલાખોરો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેઓ વારંવાર ‘…સર તન સે જુડા’ કહી રહ્યા હતા. તેમાંથી બે લોકોના નામ મને યાદ છે, અમજદ અને રશીદ. પીડિતાએ પોલીસ પર એવો પણ આરોપ લગાવ્યો કે, પોલીસ કેસ કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી

error: