Satya Tv News

સુરતના વરાછા સ્થિત કાર્યક્રમ યોજાયો
ખોડીયાર નગર મેઈન રોડ પર ખાતમૂહર્ત
ચબુતરો બનાવવાનું ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો હાજર

સુરતના વરાછા સ્થિત આવેલા ખોડીયાર નગર મેઈન રોડ પર ચબુતરો બનાવવાનું ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સહીત મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા

સુરતના વરાછા ખોડીયાર નગર મેઈન રોડ પર શ્વેતરાજહંસ સોસાયટીના નાકે તમામ સોસાયટી અને વેપારી ભાઈના સહયોગથી પક્ષીઓ માટે ચબુતરો બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. અહી શરદ પુનમના દિવસે ચબુતરાની ખાતમૂહર્ત વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સખ્યામાં સ્થાનિકો તેમજ ધારાસભ્ય કુમારભાઈ કાનાણી હાજર રહ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પહેલા અહી કચરા પેટી હતી. અને કોર્પોરેશને આ જગ્યા ફાળવી હતી. જેથી સોસાયટીના રહીશો અને વેપારીઓના સહયોગથી અહી અબોલ પક્ષીઓ માટે ચબુતરો બનાવવામાં આવી રહ્યો છે. શરદ પુનમના દિવસે અહી ખાતમૂહર્ત વિધિ કરવામાં આવી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત

error: