Satya Tv News

માર્કેટિંગ માટે તરેહ તરેહના ગતકડાં કરવામાં માહેર કરણ જોહર પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. આમીર ખાનની જેમ તેણે ખરેખર ટ્વિટર છોડયું છે કે પછી આ કોઈ માર્કેટિંગ ગિમિક જ છે તે અંગે અટકળો થઈ રહી છે. જોકે, કરણને ટ્રોલ કરવાની હંમેશાં તક શોધતા રહેતા નેટિઝન્સ દ્વારા તેનાં આ પગલાં બાદ પણ સંખ્યાબંદ મીમ્સ વાયરલ કરવામાં આવ્યાં છે. કરણ જોહરે પોતે વધુ પોઝિટિવ એનર્જીને સ્પેસ મળે તે માટે ટ્વિટર છોડી રહ્યો છે તેવી જાહેરાત કરી હતી. આ ટ્વિટના થોડા સમય બાદ જ તેણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ મારી દીધું હતું.

ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કરણ ઈન્ટરનેટ પર સતત ટ્રોલર્સના નિશાને રહે છે. બોલીવૂડમાં સગાંવાદને પ્રોત્સાહન આપી સુશાતં જેવા બહારના કલાકારોની પ્રતિભાને ડામી દેવા માટે કરણ ભારે બદનામ થાય છે.

error: