Satya Tv News

સુરતમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવ્યા
વિકાસના કાર્યો લોકો સુધી પોહચે તે માટે યાત્રા કાઢી
જન સંપર્ક યાત્રા કાઢી લોકો વચ્ચે જાય
દરેક સોસાયટીમાં જઈને લોકોની સમસ્યા સાંભળી રહ્યા

સુરત શહેરના વરાછા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા છેલ્લા ચાર માસથી જન સંપર્ક યાત્રા કાઢી જન જન સુધી પોહચી પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવી રહ્યા છે

આમ તો ચૂંટણી આવે એટલે નેતાઓ લોકો વચ્ચે જોવા મળે છે જે માનસિકતા દરેક લોકોમાં મનમાં છે પરંતુ સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી બે ટર્મ થી ધારાસભ્ય છે અને દરેક વખતે લોકોની વચ્ચે રહી કામ કરે છે 2017 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ મંત્રી પદ મળ્યું હતું અને ત્યારબાદ નેતા આપના દ્વારે કાર્યક્રમ થકી લોકો વચ્ચે રહેતા હતા જોકે હાલમાં પણ તેઓ જન સંપર્ક યાત્રા થકી લોકોને વચ્ચે જઈને લોક સંપર્ક કરી રહ્યા છે અને પાર્ટી દ્વારા કરવામાં આવતા વિકાસના કાર્યો લોકો સુધી પોહચે તે માટે યાત્રા કાઢી રહ્યા છે છેલ્લા ચાર માસથી કુમાર કાનાણી જન સંપર્ક યાત્રા કાઢી લોકો વચ્ચે જાય છે વરાછા વિધાનસભા માં 200 કેટલા બુથ આવેલા છે અને અનેક સોસાયટી છે જે દરેક સોસાયટીમાં જઈને લોકોની સમસ્યા સાંભળી રહ્યા છે

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત

error: