Satya Tv News

તારીખ 31 એ સવારે 6:00 વાગે સયાજી બાગથી થનારો પ્રારંભ

વડોદરા, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે તારીખ 31 ના રોજ સવારે 6:00 કલાકે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવેલું છે.

“રન ફોર યુનિટી”ના આયોજન માટે મ્યુનિસિપલ કમિશનરએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરી લોકો વધુને વધુ આ દોડમાં જોડાય તે માટે અનુરોધ કર્યો હતો. દેશની સુરક્ષા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા, નાગરિકોમાં ભાઇચારાની ભાવના જાળવવા, નવી પેઢીમાં આ સંસ્કારોનું સિંચન થાય તેમજ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે તેવા હેતુથી સરદાર  પટેલની જન્મજયંતી કે જે રાષ્ટ્રીય એકતા દિવસ – તરીકે પણ ઉજવાય છે તેની ઉજવણી પ્રસંગે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવેલ છે. 

“રન ફોર યુનિટી” સયાજીબાગના ગેટ નંબર 2 થી શરૂ થશે. જે પંચમુખી હનુમાન મંદિરથી કીર્તી મંદિર રોડ થઈને, સરકારી છાપખાનાથી કોઠી ચાર રસ્તાથી જેલ રોડ થઈ કાલા ઘોડાથી પસાર થઈને સયાજીગંજ જશે. જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે સંપન્ન થશે

error: