Satya Tv News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી આવતીકાલે પોતાના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી આવતીકાલે પોતાના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે. ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ શુક્રવારે સવારે પાર્ટીના ચહેરાની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું કે તેઓ કોને સીએમ તરીકે જોવા માંગે છે. તેમણે જનતાનો અભિપ્રાય જાણવા માટે એક નંબર પણ જારી કર્યો હતો, જેના પર લોકો 3 નવેમ્બરની સાંજ એટલે કે ગુરુવાર સુધી કોલ અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય આપી શકે છે.દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ તેના પરિણામો 4 નવેમ્બરે જાહેર કરશે. આ દરમિયાન તે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. લોકોના અભિપ્રાય જાણવા માટે ઈ-મેલ આઈડી પણ જારી કરવામાં આવ્યું હતું.

error: