Satya Tv News

ઝઘડિયાની યુવતીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
અન્ય સાસરીયા વિરુધ્ધ યુવતીની ફરિયાદ
સાસરીયાએ યુવતીના ડોક્યુમેન્ટ્સ પણ પચાવ્યા
પિતાના ઘરેથી કંઇ લાવી નથી એમ કહી ત્રાસ આપ્યો
ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

ભરૂચ જિલ્લાના ઝઘડિયાની એક યુવતીએ તેનો પતિ તેમજ અન્ય સાસરીયા દ્વારા ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

મળતી વિગતો મુજબ ઝઘડિયાની જયશ્રી પરમાર નામની યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૫ ના નવેમ્બર માસમાં પાદરા તાલુકાના ઘાયજ ગામના હિતેન્દ્ર ઇશ્વર રોહિત નામના યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ સાથે પરિવારમાં સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. યુવતીને લગ્ન બાદ થોડો સમય તેના પતિએ સારી રીતે રાખી હતી. પરંતું યુવતીનો પતિ હિતેન્દ્ર દારૂ પીવાની ટેવવાળો હતો,અને દારૂ પીને યુવતીને મારઝુડ કરતો હતો. આ લગ્નજીવન દરમિયાન યુવતી એક પુત્રની માતા બની હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૧ ના રક્ષાબંધનના દિવસે રાતના પતિ હિતેન્દ્રએ યુવતીને ગળેથી પકડીને ઢિકાપાટુનો માર માર્યો હતો. જેથી યુવતીએ તેના પિતાને ફોન કરતા પિતા શંકર પરમાર બીજા દિવસે તેને લેવા આવતા યુવતી પિતા સાથે પિયર આવી ગઇ હતી. ત્યારબાદ યુવતીના પિયરીયા અને સાસરીયા ઝાડેશ્વર ભરૂચ ખાતે સમાધાન માટે ભેગા થયા હતા,તે વખતે યુવતીના પતિ સસરા અને અન્ય માણસોએ યુવતી અને તેના પિતાને લોખંડના સળિયાથી માર માર્યો હતો. તેમજ યુવતીની સાસુ મંજુલા , સસરા ઇશ્વર તેમજ પતિ હિતેન્દ્ર તું તારા પિતાના ઘરેથી કંઇ લાવી નથી એમ કહીને ત્રાસ આપતા હોઇ યુવતી જયશ્રી પરમાર હાલ રહે.ઝઘડિયાનાએ તેના પતિ હિતેન્દ્ર ઇશ્વર રોહિત, સસરા ઇશ્વર ધુળા રોહિત તેમજ સાસુ મંજુલા ઇશ્વર રોહિત ત્રણેય રહે.ગામ ઘાયજ તા.પાદરા જિ.વડોદરાના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: