Satya Tv News

કુપવાડાના જુમાગંદ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ , 5 વિદેશી આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના કુપવાડાથી એક મોટા સમાચાર
આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ
એન્કાઉન્ટરમાં પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા

જમ્મુ કાશ્મીરના કુપવાડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કુપવાડાના જુમાગંદ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન એન્કાઉન્ટરમાં પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ADGP વિજય કુમારે જણાવ્યું છે કે, હજી પણ અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને પોલીસે કુપવાડામાં તેમના સંયુક્ત ઓપરેશન દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે

કાશ્મીર પોલીસના એડીજીપીએ કહ્યું કે સુરક્ષા દળોને અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

error: