Satya Tv News

રથયાત્રા દરમિયાન મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે.

આજે અષાઢી બીજ છે. ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગચર્યાએ નીકળ્યા છે. દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી છે. ભગવાનનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી ભગવાનના દર્શન માટે ઉમટી છે. ત્યારે આવમાં દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. AMC દ્વારા દુર્ઘટના થયા બાદ મકાન જોખમી હોવાની ચેતવણીનું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે રથયાત્રાના રૂટ પર જર્જરિત મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. રૂટ પર 312 જેટલા મકાનોને નોટિસ અપાઈ હતી. જેમાં ખાડિયામાં 180 મકાનો, દરિયાપુરમાં 109 મકાનોને ભયજનક હોવાની નોટિસ અપાઈ હતી. જમાલપુરમાં 10, શાહીબાગમાં 9 અને શાહપુરમાં 4 મકાનોને પણ નોટિસ આપવામાં આવેલી છે.

error: