Satya Tv News

મળતી માહિતી પ્રમાણે, નિકોલ વિસ્તારમાં રહેતી 36 વર્ષીય પરણિતા બાળક સહિત પરિવાર સાથે રહે છે. આજથી બે વર્ષ અગાઉ નિકોલમાં આવેલા રોયલ રિવેરા ફ્લેટમાં જયારે રહેતા હતા. તે સમયે તેમના નીચેના માળે રહેતા જયરાજ ભીખુભાઈ વાળા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. તેમની સાથે મુલાકાત થઈ હતી અને જયરાજ વાળા આ મહિલાના ઘરે આવ્યા હતા. ત્યારે તેમના ઘરનું ફર્નિચર પસંદ પડ્યું હતું અને ફર્નિચરવાળાનો નંબર લેવાના બહાને મહિલાનો નંબર પણ લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરુ થતી ગઈ હતી અને બાદમાં મહિલા સાથે સબંધ રાખવાની વાત પોલીસકર્મીએ કરી હતી. પરંતુ મહિલાએ પરણિત હોવાથી ઇનકાર કરી દીધો હતો અને ત્યારથી જયરાજ વાળા આ મહિલાને મેસેજ અને ફોન કરીને હેરાન કરતો હોવાની ફરિયાદ અગાઉ પણ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ત્યારબાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આટલાથી ન રોકાતા આ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મહિલા બીજે રહેવા માટે ગઈ ત્યાં જઈને પણ મહિલાને હેરાન કરતો હતો અને ફોનમાં ધમકી આપતો હતો કે, અગાઉની ફરિયાદ પાછી ખેંચી લે અથવા તો સમધાન કરી લે. તેથી આખરે કંટાળીને મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે

error: