Satya Tv News

આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં આવેલી અલકાપુર સોસાયટીની સામે કાર ચાલકે 2 વર્ષીય માસુમ બાળકને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી. કારચાલકે બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. જોકે, કારચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

જે બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. 2 વર્ષના બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી છે. હાલ આણંદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થનારા અજાણ્યા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

error: