Satya Tv News

અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ વિસ્તારમાં ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ૧૪ સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન સહાયકો કાર્યરત છે.દહેજ વિસ્તારની ૧૪ પ્રાથમિક શાળામાં નવમી સપ્ટેમ્બર ને દાદા-દાદી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.ઉજવણીમાં વિદ્યાર્થીઓના દાદા-દાદીને આમંત્રણ આપી શાળામાં બોલવાયા હતા.વિદ્યાર્થીઓએ દાદા દાદીને ફૂલ આપ્યુ હતુ અને દીપ પ્રગટાવી આરતી ઉતારી એમનું સ્વાગત કર્યું હતુ. વિદ્યાર્થીઓએ દાદા દાદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.ઉજવણીમાં લગભગ ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વડીલોને ઉચ્ચ સ્થાને માનવામાં આવે છે.વડીલોના આશીર્વાદ અને એમની હાજરી બાળકોના જીવનમાં ખૂબ પ્રેરણાદાયી હોય છે.એટલા માટે બાળકો માં આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય સાથે દાદા દાદીને પણ વિશેષ માન સન્માન મળે એ હેતુથી અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટમાં દાદા દાદી દિવસ દરવર્ષે ઉજવવામાં આવે છે.આ વર્ષની ઉજવણી દરમિયાન દાદા-દાદી દિવસની ઉજવણી સમયે કેટલાક વડીલોએ શાળાને દાન આપ્યુ હતુ.લગભગ ૩૨૦૦ રૂપિયાનું દાન શાળાને મળ્યુ હતુ.દાદા દાદી દ્વારા પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, અમને કોઈ શાળામાં મળ્યું હોય એવું આ પ્રથમ સન્માન છે.અમારા બાળકો શિક્ષણ સાથે સંસ્કાર પણ મેળવે તેવી આ ઉજવણીનું આયોજન અદાણી ફાઉન્ડેશન દ્વારા થયુ એ બહુ આવકારદાયક છે.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: