Satya Tv News

આતંકવાદીઓએ ઇઝરાયેલના વિસ્તારમાં ઘુસીને નરસંહાર શરૂ કર્યો હતો જેમાં દયાહીન આતંકીઓએ માસુમ બાળકો અને મહિલાનો પણ છોડી ન હતી. જેને લઈને રૂવાટા ઉભા થઈ જાય તેવા હચમચાવી નાખતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન નફતાલી બેનેટે X પર એક પરિવારની સ્ટોરી શેર કરીને જણાવ્યુ હતું કે આ આખા પરિવારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે અને તેનું એક માત્ર કારણ એ છે કે પરિજનો યહૂદી હતા. બેનેટે ટ્વિટમા લખતા કહ્યું કે કેડેમ પરિવારના પિતા જોનાથન, માતા તામર, 6 વર્ષની છોકરીઓ શાચર અને આર્બેલ અને 4 વર્ષનો છોકરો ઓમર. તેમનો પ્રેમ. આ તમામની નિર-ઓઝ કિબુત્ઝમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાયા છે કારણ કે તેઓ યહૂદી હતા.

ડોરન આશર નામની મહિલાનું તેની બે પુત્રીઓ અને માતા સાથે અપહરણ કરાય બાદ હમાસના આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. જેને લઈને ડોરેન તેના પતિને જાણ કરી હતી. બાદમાં ફોન કટ થયો હતો અને તેના પતિએ તેની પત્નીનો અવાજ સાંભળ્યો ન હતો. જ્યારે ફોન ટ્રેક કરવામાં આવ્યો ત્યારે લોકેશન સરહદ પાર ગાઝામાં હોવાનું બહાર આવ્યું હતું. આતંકીઓ બંદૂકની અણી પર મહિલાઓ અને બાળકોનું અપહરણ કર્યું હતું. જેમા પત્ની અને બાળકોને છોડી દેવા પર તેનો પતિ બંધક બનવા પણ તૈયાર હતો. આવા તો અનેક કરુણ કિસ્સાઓ સામેં આવી રહ્યા છે.

error: