Satya Tv News

શ્રેયસ તલપડે સ્વાસ્થ થયા બાદ અગાઉ પોતાની હેલ્થ અપડેપ પર વાત કરી હતી જે બાદ અભિનેતાએ ખુલાસો કર્યો છે કે તે ક્લિનિકલી ડેડ હતો તેમજ ડોક્ટરોએ તેને મૃતક માની લીધો હતો કારણ કે તેનું હાર્ટ ધડકવાનું બંધ થઈ ગયુ હતુ પણ પછી જાણે ચમત્કાર થયો અને મારો જીવ બચી ગયો. એક મીડિયા સાથેના ઈન્ટરવ્યૂમાં શ્રેયસ તલપડેએ કહ્યું કે તે તેના જીવનમાં પહેલા ક્યારેય હોસ્પિટલમાં દાખલ થયો નથી. હેલ્થ ઈમરજન્સીએ આપણને અહેસાસ કરાવ્યો છે કે ‘જાન હૈ તો જહાન હૈ’. તેણે એ પણ જણાવ્યું કે તેનું હૃદય 10 મિનિટથી ધડકવાનું બંધ થઈ ગયું હતું.જેના કારણે ડોક્ટર માની ચૂક્યા હતા કે હું મરી ગયો છું પણ તે બાદ થોડા સમયમાં જ મારા હ્રદયે ફરી ધડકવાનું શરુ કર્યુ અને મને નવુ જીવન મળ્યું

14 ડિસેમ્બરની સાંજે તેમને હૃદયરોગનો હુમલો થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને એન્જિયોપ્લાસ્ટી કરવી પડી. ત્યારથી શ્રેયસ તલપડે હોસ્પિટલમાં દાખલ હતો. પરંતુ હવે તે સુરક્ષિત ઘરે પરત ફર્યો છે. આ ખુશખબર શેર કરતા તેની પત્ની દીપ્તિ તલપડેએ તમામ ચાહકો અને શુભેચ્છકોનો તેમના આશીર્વાદ અને પ્રાર્થના માટે આભાર માન્યો હતો.

error: