Satya Tv News

હાલમાં જ મલાઇકા અરોરાના એક્સ પતિ અરબાઝ ખાને લગ્ન કર્યા છે, જે બાદ લોકો એક્ટ્રેસને તેના બીજા લગ્નને લઇને સવાલ કરી રહ્યાં છે. અલગ થઇ ગયા અર્જૂન- મલાઇકા : મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર બોલિવૂડના સૌથી ચર્ચામાં રહેતા કપલ્સમાંથી એક છે. આ બંનેને ખૂબ જ ટ્રોલ પણ કરવામાં આવે છે, ત્યાં ફેન્સ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર પર મન ભરીને પ્રેમ પણ વરસાવે છે. આ વચ્ચે મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના અલગ થવાના સમાચાર મળી રહ્યાં છે, જેના કારણે ફેન્સ ચોંકી ઉઠ્યા છે.

કપલે પોતાના સંબંધોમાંથી નાનકડો બ્રેક લીધો હતો. આ રિપોર્ટમાં તેની પાછળનું કારણ લગ્ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરમાંથી કોઇ એક લગ્ન માટે હજુ તૈયાર નથી. તો કેટલાંક રિપોર્ટ્સમાં અલગ દાવા કરવામાં આવી રહ્યં છે.પરંતુ આ બંનેને એવો અહેસાસ થઇ ગયો છે કે અલગ થવું એ કોઇ સમાધાન નથી અને તેઓ તેમના સંબંધોને વધુ એક મોકો આપવા માગે છે. તમને જણાવી દઇએ કે મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના બ્રેકઅપની કોઇ ઓફિશિયલ માહિતી સામે નથી આવી.બંનેએ પોતાના સંબંધોમાંથી બ્રેક લઈ લીધો હતો. તેમના અલગ થવાનું કારણ લગ્ન હતું. બંને એકબીજા સાથે રહેવા અને લગ્ન કરવા માંગે છે. પરંતુ તેમાંથી કોઈ કમિટમેન્ટ આપવા તૈયાર નથી.

થોડા દિવસો પહેલા અર્જુન કપૂર અને આદિત્ય રોય કપૂર ‘કોફી વિથ કરણ 8’માં ગેસ્ટ તરીકે આવ્યા હતા. કરણ જોહરે અર્જુનને લગ્ન વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના પર તેણે કહ્યું હતું કે તે એકલા આ વિશે વાત નહીં કરે, અન્ય વ્યક્તિના સન્માન માટે તે યોગ્ય નથી. મલાઈકાએ પણ લગ્ન પર પૂછાયેલા સવાલનો વિચિત્ર જવાબ આપ્યો. મલાઈકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને પૂછવામાં આવ્યું કે શું તે 2024માં લગ્ન કરશે? આ અંગે મલાઈકાએ કહ્યું હતું કે, જો કોઈ પૂછશે તો હું ચોક્કસ કરીશ. બંનેના નિવેદનો પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે લગ્નના મુદ્દાને કારણે તેમની વચ્ચે અંતર આવ્યું હતું.

error: