Satya Tv News

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે. તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવનાઓ નથી.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.’ એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે.

error: