Satya Tv News

મંગળવારે પંજાબથી દિલ્હીની તરફ કૂચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લઈ રહ્યું છે. પોલીસની સાથે ઝડપમાં અત્યાર સુધી ઘણા પ્રદર્શનકારી અને પોલીસ ઘાયલ થયા છે. કાલે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસ સાથે ઝપાઝપી થઈ. હરિયાણા પોલીસના બેરિકેડિંગ અને તારની વાડની સાથે અણીદાર સીમેન્ટેડ બેરીકેટ્સ હટાવવા પર પોલીસે ખેડૂતો પર પાણી નાખ્યું. તેની સાથે જ આંસૂ ગેસના ગોળા પણ નાખ્યા.

હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખી સાત જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ અને અક સાથે ઘણા મેસેજ ફોરવર્ડની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે મંગળવારે બે દિવસ સુધી વધારીને 15 ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે અંબાલા, કુરૂક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં આ પ્રતિબંધ લાગુ રહેશે. આ બાજુ પંજાબ સરકારે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસની સાથે ઝપાઝપી બાદ ઘણા ખેડૂતોના ઘાયલ થવાને ધ્યાનમાં રાખી હરિયાણા સીમા સાથે જોડાયેલા હોસ્પિટલમાં એલર્ટ જાહેર કરી દીધુ છે.

સોમવારે થયેલી બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું. ચંડીગઢમાં લગભગ સાડા પાંચ કલાક ચાલેલી બેઠક બાદ મોડી રાત્રે બહાર આવેલા ખેડૂત નેતાઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગોના પ્રતિ ગંભીર નથી. ખેડૂત નેતાએ કહ્યું કે મંગળવારે દિલ્હી ચલો માર્ચ ચાલુ રહેશે.

error: