Satya Tv News

યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની અટકાયત
સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પેહલા અટકાયત
કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત

આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

ગત તારીખ-14મી ફેબ્રુયારીના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે ભરુચ જિલ્લાની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેઓએ મર્હુમ અહેમદ પટેલ અંગે ટિપ્પણી કરવા વિવાદ સર્જાયો હતો જે ટિપ્પણીને લઈ કોંગ્રેસ દ્વારા ભરુચ-અંકલેશ્વર ખાતે આપ નેતા સંદીપ પાઠકના પૂતળા દહનનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જે પૂતળા દહનનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા 6 જેટલા કોંગ્રેસના કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી.અને તેઓને નજર કેદ કરવામાં આવ્યા હતા.

error: