Satya Tv News

સોમવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. તેમના નિધનની માહિતી તેમના ખાસ મિત્ર અમિત બહલે શેર કરી હતી. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી અભિનયની દુનિયામાં એક્ટિવ હતા અને તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી હતી. તેઓ સ્વાદુપિંડની બિમારીથી પીડિત હતા અને છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મિત્ર અમિત બહલે આ દુઃખદ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું- હા, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. તેમને સ્વાદુપિંડની સારવાર માટે થોડાં સમય પહેલા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ ઘરે પણ પાછા ફર્યા હતા. પરંતુ હૃદયરોગના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

બદ્રીનાથ કી દુલ્હનિયા, સત્યમેવ જયતે 2 અને યારિયાં 2 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ સિવાય તેણે ક્રિમિનલ જસ્ટિસ, બંદિશ બૈંડિત, અભય અને હે પ્રભુ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. છેલ્લે તેઓ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળ્યા હતા. તેમાં તેણે નેગેટિવ રોલ રફિકનું પાત્ર ભજવ્યું હતું. લોકપ્રિય ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું. તેણે બનેગી અપની બાત, તહકીકાત, કહાની ઘર ઘર કી, દિયા ઔર બાતી હમ, હિટલર દીદી, બેઇન્તહા, સતરંગી સસુરાલ અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી મોટી સિરિયલોનો સમાવેશ થાય છે. થોડાં સમય પહેલા તે રૂપાલી ગાંગુલીની લોકપ્રિય સીરિયલ અનુપમા સાથે પણ જોડાયેલા હતા. આ સીરિયલમાં તે મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.

error: