Satya Tv News

દિગ્વિજય સિંહ બુધવારે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના પ્રવાસે છે. જ્યારે તેઓ કાર્યકર્તાઓને મળી રહ્યા હતા, તે દરમિયાન તેઓ પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ પર ગુસ્સે જોવા મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની આ મહિલા કાર્યકર્તા પૂર્વ સીએમ દિગ્વિજય સિંહને મળવા પહોંચી હતી, પરંતુ આ મહિલા કાર્યકર્તાને સિક્યોરિટી ગાર્ડે રોકી હતી અને આ સાથે જ દિગ્વિજય સિંહે પોતાના સિક્યોરિટી ગાર્ડને કહ્યું કે, ‘આ પાગલને બહાર કાઢો, આ મહિલા પાગલ થઇ ગઇ છે.’ ‘મહિલા કાર્યકર્તાનું નામ ડો.લીના શર્મા છે. મીડિયા સાથે વાત કરતા મહિલાએ કહ્યું, ‘કેટલાક લોકો તેને હળવાશથી લે છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. દિગ્વિજય સિંહ સામે મને કોઈ દ્વેષ નથી. હું તેમને મળવા આવી હતી પરંતુ તેઓ ન મળ્યાં, કંઈ વાંધો નહીં હું ફરી વાર તેમને મળવા આવીશ.

error: