Satya Tv News

ગુમ થયેલા યુવકની લાશ મળી
શકાસ્પદ હાલતમાં લાશ મળી
સ્યુસાઈડ કરી હોવાનું અનુમાન

વડોદરામાં નંદેશરી મીની નદી પાસે અવાવરી જગ્યા પરથી ગુમ થયેલા 28 વર્ષીય યુવકનો મૃતદેહ સાથે રિવોલ્વર મળી આવતા રહસ્ય ઘેરાયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્યુસાઈડ કરી હોવાનું અનુમાન લગાવાયું છે.

વડોદરા શહેર નજીક પેટ્રોફિલ્સ કંપનીની સામે મીની નદી પાસે એક અવાવરી જગ્યા ઉપર એક યુવકની લાશ દેખા દેતા એક વ્યક્તિ દ્વારા જવાહરનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જેથી એસીપી સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.તપાસ કરતા આ યુવકની ઓળખ થતી થઈ હતી પ્રાથમિક તબક્કે યુવક ગામ નાપાડ હાલ રહે કોઈનો રહેવાસી 28 વર્ષીય સમીરભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું છે તેના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી છે. આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ઉપર એક અજાણ્યા માણસ નો ફોન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે એક લાશ પડી છે પેટ્રોફિલ્સ કંપનીની સામેના રોડ ઉપર અવાવરી જગ્યા ઉપર જેથી કરીને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યાં તપાસ કરતાં સમીરભાઈ મકસુદભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે તેના મૃતદેહ પાસે એક પિસ્તોલ જેવું વેપન પણ જણાવ્યું છે અને મોબાઈલ તપાસતા આ સ્યુસાઇડ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથધરવામાં આવી છે. નોંધનીય છે કે સમીર રાઠોડ ગુમ થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન શુક્રવારે બપોરના સુમારે સમીરનો મૃતદેહ મળી આવતા જવાહર નગર પોલીસે હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં તલસ્પર્શી તપાસ આરંભી છે

error: